| |
દારૃ હળદર
આયુર્વેદિય મત પ્રમાણે દારૃહળદર, કડવી, તીખી, પૌષ્ટિક, ઉષ્ણ- ગરમ, મળને રોકનાર, તાવ ઉતારનાર, પરસેવો લાવનાર, કફ હરનાર, ત્વચાના રોગો મટાડનાર, લેપ- પ્રલેપ કરવાથી સોજો મટાડનાર, ભૂખ લગાડનાર અને જ્વર પ્રતિબંધક છે. * દારૃ હળદરના ઉકાળામાં ચણાના દાણા જેટલું શિલાજિત નાંખી પીવાથી થોડાં દિવસમાં સ્ત્રીઓને થતો શ્વેતપ્રદરનો વ્યાધિ મટે છે. * દારૃ હળદરનું ચૂર્ણ તલના તેલમાં મિશ્ર કરી તેનો લેપ કરવાથી મચકોડનો સોજો મટે છે. *અંડવૃદ્ધિ પર દારૃ હળદરનો લેપ કરવાથી ફાયદો થાય છે. | |
|